Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

વિદાય લેતા મેઘરાજાએ ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં વધુ નુકશાન વેર્યુ

રાજકોટ તા. ૧૦: ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે વિદાય લેતા મેઘરાજાએ ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાને નિશાન બનાવવાનો ઝાપટાનો વરસાદ વરસ્યો હતો. જેના કારણે નુકશાન થયુ છે.

 ગીર જંગલમાં એક કલાકમાં અનરાધાર ચાર ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા ગીરમાંથી નીકળતી શીંગવડા નદીમાં પાણીની આવક વધવાને કારણે આ નદી પર આવેલા જામવાળા સ્થિત શિંગોડા ડેમના ૩ દરવાજા ૧પ્ર૧ફૂટ ખોલવામાં આવ્યા છે

આ ત્રણેય દરવાજામાંથી પ્રતિ સેકન્ડ ૩૪૫૦ ક્યુસેક મીટર પાણીનો પ્રવાહ શીંગવડા નદીના ડાઉન સ્ટ્રીમમાં વહી રહ્યોં છે. જેથી કોડીનાર-ગીર ગઢડાનાં ૧૪ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. છે બીજીતરફ કોડીનાર શહેર મધ્યે શીંગવડા નદી પરનાં કોઝવે ઉપર ૧ ફૂટ કરતા વધુ પાણી ચડી જાય તેવી શક્યતાને પગલે શહેરીજનોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.

માળીયા હાટીના

 જૂનાગઢ : ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. તેમ છતા કંઈ ઘટતું હોય તેમ ફરી ફરીને વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં ૨ કલાકમાં ૨ ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો. બપોર બાદ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદ વરસ્યો જેથી પંથકના નીચાણવાળા વિસ્તાર સહિત રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા હતા.

જામનગર

જામનગરઃ શહેરનું આજનુ હવામાન ૩૪.૫ મહતમ, ૨૪.૮ લઘુતમ, ૭૪ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૨.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:14 pm IST)