Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સક્કરબાગમાં કોઈ સિંહો બીમાર નથી:તમામ પ્રાણીઓ તંદુરસ્ત;વનવિભાગનો ખુલાસો

જૂનાગઢના સક્કરબાગના સિંહો અંગે વન વિભાગ દ્વારા ખુલાસો કરાયો છે કે સક્કરબાગમાં કોઈ સિંહો બીમાર નથી તમામ પ્રાણીઓ તંદુરસ્ત છે

 સક્કરબાગના 21 સિંહો બીમાર હોવા અંગે CCF દુષ્યંત વસાવડાએ રદિયો આપ્યો છે

  દલખાણીયા રેન્જ માં મૃત્યુ પામેલ અને બીમાર સિંહો ના સેમ્પલો સક્કરબાગ મારફત મોકલાયા હતા. વિવિધ લેબોરેટરીઓએ સક્કરબાગના નામે રિજલ્ટ પરત મોકલતા ગેર સમજ ફેલાઈ હતી

  સિંહોના તમામ વેટરનારી રિપોર્ટ કોરસપોન્ડ સક્કરબાગના એડ્રેસથી જ થાય છે.તેમ જણાવ્યું છે 

ગીર અને સક્કરબાગ ના તમામ સિંહો તંદુરસ્ત અને નિરોગી હોવાનો વન વિભાગ દ્વારા દાવો કરાયો છે

(4:48 pm IST)