Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાણવડઃ પરિશ્રમ સ્કુલના વિદ્યાર્થીઓનું સ્વચ્છતા અભિયાન

ભાણવડઃ પરિશ્રમ સ્કુલના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અહિંના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે સફાઇ કરી હતી. અમાસના મેળા બાદ જમા થયેલ કચરો એકઠો કરી તેનો નાશ કરેલ હતો. ઉલ્લેખનિય છે કે ગત સાલ પણ આ શાળાના વિદ્યાર્થીઓએ અહિંના વિશાળ પટાંગણમાં સફાઇ કરી સ્વચ્છ બનાવેલ હતુ. ત્યારે કહેવું પડે કે, ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાનના નામે ડોળ કરી ફોટો સેશન કરાવી લેતા આગેવાનો કરતા આ ભુલકાઓનું અભિયાન ખરેખર પ્રેરણાદાયી છે. (તસ્વીરઃ રવિ પરમાર ભાણવડ)

(12:52 pm IST)