Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જામનગર જિલ્લાને ઇ-ઓળખની શ્રેષ્ઠ કામગીરી બદલ સરકાર દ્વારા એવોર્ડ

જામનગર તા.૧૦: રાજય સરકાર શ્રી દ્વારા વર્ષ ૨૦૧૫થી જન્મ-મરણ નોંધણી માટે ''ઇ-ઓળખ'' નામે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લાની જન્મ-મરણની નોંધણી ઇ-ઓળખમાં નિશ્ચિત સમયમાં પુર્ણ કરવામાં આવતા, આ ઉતકૃષ્ટ કામગીરી બદલ રાજયના આરોગ્ય કમિશનરશ્રી દ્વારા જામનગર જિલ્લાને શ્રેષ્ઠ કામગીરી કર્યા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

આ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ-મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા કક્ષાની ટીમ અને તમામ તાલુકા વિકાસ અધિકારીને બિરદાવ્યા હતા.(૧.૨)

(12:18 pm IST)