Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જુનાગઢમાં અસ્મીતા ગ્રુપ ઘ્વારા ખેલક્રમ નવરાત્રી

જુનાગઢ : અસ્મીતા ગ્રુપ દ્વારા  નવરાત્રીવધામણા કાર્યક્રમનું આયોજન ગીતાબેન કોટેચાના નિવાસ સ્થાને કરવામાં આવેલ. ૨૦૦ બહેનોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઇ ભાગ લીધેલ. સંસ્થાના બે મે)બરોને ''અસ્મીતા સત્ન'' એવોર્ડથી સન્માનિત કરેલ હતા. રૂપલબેન લખલાણીને સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી તરીકે વરણી બદલ તથા જયશ્રીબેન વેકરીયાને ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત વર્ષ દરમિયાન અસ્મીતા ગ્રુપમાં શ્રેષ્ઠ કામગીરી બદલ દમયંતીબેન રાજપરા તથા અલ્કાબેન વૈદ્ય ને પણ સન્માનિત કરેલ  છે. કાર્યક્રમને સફળ બનાવવામાં હીના બહેન રવાણી, મનીષા ગોધવાણી, અલ્પા ઉનડકટ, ખુશી વ્યાસ, ધમિષ્ઠા મેઘાણી, રૂબીના વીરાણી, સાધના નિર્મળ, પૂર્વી સાદરાણી તથા ચાંદની કોટેચાએ જહેમત ઉઠાવી હતી. અસ્મીતા ગૃપના સ્થાપક શ્રીમતી અંજલીબેન સાવલીયા એ ઉપસ્થિત રહી આ કાર્યક્રમન ેસફળ બનાવવા માટે પ્રેરણા આપેલ હતી. તે પ્રસંગની તસ્વીર (૩.૧)

(12:16 pm IST)