Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કોડીનારના આલીદર ગામની સગીરાને ભગાડી જવાઈ

કોડીનાર, તા. ૧૦ :. તાલુકાના આલીદર ગામે રહેતા નારણભાઈ ગોવિંદભાઈ પ્રજાપતિ જે શાકભાજીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગઈ તા. ૨૫-૯ના રોજ નારણભાઈ મુળ દ્વારકા ગામે ખરખરાના કામે ગયેલ અને તેમના પત્નિ ઉજીબેન બજારમાં શાકભાજી વેચવા ગયેલ ત્યારે નારણભાઈની સગીરવયની દિકરી એકલી જ હતી. સાંજના સાડા સાત વાગ્યે ઘરે આવેલ. ઘરે તાળુ મારેલ જેથી તપાસ કરતા દિકરી મળેલ નહીં.

બાજુમાં હરમડીયાના જીણાભાઈ લાખાભાઈ કોળી શાકભાજીનો ધંધો કરતા હોય તેને ત્યાં ગયેલ અને વાત કરતા જીણાભાઈએ જણાવેલ કે તમારી દિકરી અમદાવાદ નરોડા વિસ્તારમાં રહેતો દિપુ ઉર્ફે લાલો ગોવિંદભાઈ જેઠવા મોચી તેના મોટરસાયકલમા બેસાડીને જતો હતો તે જોયેલ. જેથી આ દિપુ ૧૭ વર્ષ અને છ માસની હોય દિકરીને ભગાડી ગયાની ફરીયાદ કરેલ. જેથી કોડીનાર પોલીસે ૩૬૩, ૩૬૬ તથા પોકસો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(૨-૬)

 

(12:01 pm IST)