Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પૂ. મોરારીબાપુના સમર્થનમાં જૂનાગઢમાં સનાતન ધર્મ સંમેલનનો પ્રારંભઃ હનુમાનજીના ફોટા સાથે જય નિલકંઠ લખેલ મુગટ લોકોએ પહેર્યાઃ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને કથાકારો ઉમટ્યા

જૂનાગઢ :. પૂ. મોરારીબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે શરૂ થયેલ વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર વિવાદને લઈને સંતો પણ બે ભાગમાં વેચાઈ ગયા છે. કેટલાક સંતો મોરારીબાપુના સમર્થનમાં ઉતરી આવ્યા છે તો કેટલાક સંતો મોરારીબાપુનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના સંતોએ પણ પૂ. મોરારીબાપુ આ મુદ્દે માફી નહિ માગે અને અમે તેમને માફી પણ માંગવા દઈશુ નહિં તેમ જણાવ્યુ છે ત્યારે આજે બપોરે જૂનાગઢમાં સનાતન ધર્મ સંમેલનનો પ્રારંભ થયો છે. જેમાં પૂ. ઈન્દ્રભારતીબાપુ, પૂ. કનીરામબાપુ, પૂ. રાજેન્દ્રદાસબાપુ, પૂ. જગજીવનદાસબાપુ, પૂ. લાલબાપુ સહિત સંતો-મહંતો તેમજ કથાકારો અને પૂ. મોરારીબાપુના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટયા છે. જેમાં આવેલા ભાવિકોએ માથા ઉપર હનુમાનજીદાદાના ફોટા અને જય નિલકંઠ લખેલ મુગટ ધારણ કરેલા જોવા મળ્યા હતા. આવી રીતે પૂ. મોરારીબાપુને આપ્યુ હતું.   આ મુદ્દે જૂનાગઢના જાગીર આશ્રમના મહંત પૂ. ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યુ હતુ કે, પૂ. મોરારીબાપુએ દુકાનદારી ચલાવતા લોકો સામે માફી ન માગવી જોઈએ. નિલકંઠ એ નિલકંઠ જ કહેવાય. પૂ. મોરારીબાપુ અમારા ધર્મ પ્રચારક છે. જૂનાગઢના પ્રેરણાધામ ભવનાથ ખાતે સનાતન ધર્મ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમ જૂનાગઢના સૂર્ય મંદિરના પૂ. જગજીવનબાપુએ જણાવ્યુ છે. સનાતન ધર્મ સંમેલનમાં ગામેગામથી, તાલુકાઓમાંથી તેમજ જિલ્લામાંથી સમસ્ત સાધુ સમાજના આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(4:21 pm IST)