Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

બગસરા નાગરિક શરાફી સહ.મંડળીના ચેરમેન પદે વરાતા રશ્વિન ડોડીયા

બગસરા તા. ૧૦ : બગસરાના નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની ૩પ મી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના ચેરમેન રશ્વિનભાઇ ડોડીઆના અધ્યક્ષસ્થાને ધારી મુકામે યોજાઇ, જેમાં મંડળીના નિતિ-નિયમ મુજબ ચુંટણી અધિકરી રમેશભાઇ ગોહેલે બોર્ડ ઓફ ડિરેકટર તરીકે રશ્વિનભાઇ ડોડીઆ, મહેશભાઇ વ્યાસ, યુસુફભાઇ ભારમલ, હરીભાઇ ભટ્ટી, લલીતભાઇ ચુડાસમા, સુરેશભાઇ પાઘડાળ, ભરતભાઇ ખીમસુરીયા (અનુ.જાતિ), ભાવિશાબેન મહેતા (મહિલા) તેમજ ધારી, અમરેલી, ચલાલા, લીલીયા, રાજકોટ અને અમદાવાદ વગેરેના શાખાઓના ડીરેકટરઓ બિનહરીફ જાહેેર થયા. ત્યારબાદ પ વર્ષ પુનઃ ચેરમેન તરીકે રશ્વિનભાઇ પી.ડોડીઆની વરણી કરવામાં આવેલ હતી.

મંડળીના વર્ષ ર૦૧૮/૧૯ ના કુલ રૂ.ર.૦૩ કરોડના નફા સાથે સભાસદોને ૧પ% ડીવીડન્ડ જાહેર કરેલ, આ તકેમંડળીના વાર્ષિક ટર્નઓવર રૂ.પ.પ૯ અબજનો બિઝનેશ રૂ.૧.૧૭ કરોઙ૦% એન.પી.એ.સાથે સ્થાપનાથી જ ઓડીટ વર્ગ ''એ'' ધરાવે છે. તેવા અહેવાલને ઉપસ્થિત સૌએ વધાવી લીધેલ.

કાર્યક્રમમાં બીજો ઉપક્રમ ''સહકાર સંમેલન'' તરીકે નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયું, જેમાં પૂર્વધારાસભ્ય બાલુભાઇ તંતીએ સંસ્થાની સીસ્ટમેટીક કાર્યપ્રણાલીને બિરદાવી હતી મનસુખભાઇ ભુવા સંસ્થાની પારદર્શકતાની શુભકામનાઓ પાઠવી હતી, યુવા અગ્રણી મનિષભાઇ સંઘાણીએ સહકારી પ્રવૃતિ દ્વારા આ સંસ્થા કઇ રીતે સમાજ સેવા કરે છે. તે જણાવ્યું હતું. આ તકે ભાવનાબેન ગોંડલીયા, જયંતીભાઇ પાનસુરીયા અને કોઠીયા આ સંસ્થાના સામાજીક દાયિત્વને બિરદાવ્યું હતું.કાર્યક્રમનું સંચાલક સંસ્થાના જનરલ એમ.ડી.નિતેષ ડોડીઆ, કરેલ, જયારે અભાર વિધિ અમદાવાદ શાખા એમ.ડી.અશ્વિનભાઇ પેથાણીએ કરેલ. તેમ મંડળીના જનરલ સેક્રેટરી ડી.જી.મહેતાની યાદી જણાવે છે.

(11:43 am IST)