Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભેસાણમાં પતિ સાથે ઝઘડો થતાં પ્રૌઢ પત્નીનો આપઘાત

જાબુંડાનાં યુવાનનું વીજ કરંટ લાગતા મોત

જુનાગઢ તા. ૧૦: ભેસાણ ખાતે રહેતાં પરસોતમભાઇ પેથાભાઇ ધામેચા (ઉ.વ. પ૦) અને તેની પત્ની જોશનાબેન (ઉ.વ. પ૦) વચ્ચે ગત તા. ૮ ના રોજ ઝઘડો થયો હતો.

બાદમાં પરસોતમભાઇએ ઠપકો આપતા જેનું લાગી આવતા પત્ની જોશનાબેને પોતાનાં શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દઇને અગ્નિસ્નાન કરી લીધું હતું.

જયારે માણાવદરનાં જાબુંડા ગામનાં મેરામભાઇ ગોવિંદભાઇ બાલાસરા (ઉ.વ. ૪પ) નું પોતાનાં ઘરે વીજ કરંટ લાગવાથી મૃત્યુ થતા ગમગીની પ્રસરી ગઇ હતી.

(11:37 am IST)