Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભાવનગરમાં ૧૧ મીએ ભારત એકતા કૂચ-પદયાત્રા

ભાવનગર તા. ૧૦: તાજેતરમાં વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ ભારતીય સંસદય દ્વારા રાષ્ટ્ર હિતમાં અખંડ ભારતના સર્જન માટે જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ-૩૭૦ તથા ૩પએ ને દૂર કરવાના લેવાયેલ નિર્ણય ના સમર્થનમાં તથા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરના તમામ રાષ્ટ્રપ્રેમી ભારતીયો દ્વારા એક રાષ્ટ્રીય જન ચેતના માટે ''ભારત એકતા કૂચ'' પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તથા તેઓ આ પદયાત્રા ને પ્રસ્થાન સંતો-મહંતોના આશીર્વાદ સાથે પ્રસ્થાન કરાવશે.

જેમાં શહેરના તમામ નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, વ્યવસાયીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, વિવિધ સામાજીક સંગઠનો અને અગ્રણીશ્રીઓ, સંતો-મહંતો, શિક્ષણકારો, તબીબો, ઇજનેર્સ, વકીલશ્રીઓ, વિગેરે બહોળી સંખ્યામાં જોડાવાના છે. સમગ્ર પદયાત્રા તા. ૧૧/૦૯/૧૯ બુધવારના રોજ સવારના ૮ કલાકથી શરૂ થઇ નીચેના રૂટ પરથી પસાર થઇ લોકોમાં રાષ્ટ્રપ્રેમ માટેનો અહોભાવ પ્રકટ કરવાના છે.

સમગ્ર રૂટ પર વિવિધ જગ્યાઓ પર જુદા જુદા સંગઠનો દ્વારા વિવિધ બેન્ડની સુરાવલી સાથે ભારતમાતાના પૂજન સાથે પદયાત્રીઓનું સ્વાગત થશે તથા દેશભકિતની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજુ થનાર છે. આ પદયાત્રામાં શહેરીજનો સાથે ભાવનગર સ્કાઉટ એન્ડ ગાઇડ, એન.એસ.એસ., એન.સી.સી., ના કેડેટસનું શહેરમાં પ્રથમ વખત આયોજીત થતી આ પ્રકારની પદયાત્રા માટે એક અનોખા ઉત્સાહ અને દેશપ્રેમ સાથે આ પદયાત્રા માટે શહેરના તમામ ઔદ્યોગિક, શૈક્ષણિક, સામાજીક સંગઠનો, યુવાનો, વડિલો તમામનો સુંદર સહયોગ અને સમર્થન મળી રહ્યું છે. ભાવનગર સમિતિ આયોજીત આ પદયાત્રા અંગે કે. પી. સ્વામી, ડો. ગીરીશ વાઘાણી, સુનીલ વડોદરીયા, ભરતસિંહ ગોહિલ, મેહુલભાઇ પટેલ વિગેરેએ માહિતી આપી હતી.

(11:37 am IST)