Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ટંકારા તાલુકાના અમરાપર ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા હાર્દિક પટેલના દિર્ધાયુષ્ય માટે ખુદાને ઇબાદત

ટંકારા તા.૧૦: તાલુકાના અમરાપરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા હાર્દિક પટેલના દિર્ધાયુષ્ય માટે ખુદાને ઇબાદત કરવામાં આવેલ.

ટંકારા તાલુકાના અમરાપર ગામના મોટા ભાગના મુસ્લિમ બિરાદરોનો વ્યવસાય ખેતી છે. વ્યવસાયે ખેડૂત છે. હાર્દિક પટેલ ખેડૂતોના હિત માટે સરકાર સામે લડત ચલાવી રહેલ છે.

હાર્દિક પટેલે ખેડૂતોના દેવા નાબુદી માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. દરરોજ તેના વજનમાં ઘટાડો થઇ રહેલ છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. પરિણામે અમરાપરમાં ચિંતાની લાગણી ફેલાયેલ છે.

અમરાપરના મુસ્લિમ બિરાદરો દ્વારા હાર્દિક પટેલના દિર્ધાયુષ્ય માટે તથા સરકાર સામે લડત કરવાની શકિત આપે તે માટે ખુદાને ઇબાદત પ્રાર્થના કરેલ.

(4:50 pm IST)