Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પોરબંદરમાં સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ ગુજારનાર પિતાને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજ

નરાધમ પિતાને અગાઉ બળાત્કાર કેસમાં જેલની સજા થયેલ : જુનાગઢ હોસ્ટેલમાં રહેતી પુત્રીઓને રજામાં પોરબંદર લઇ આવતો

પોરબંદર તા.૧૦ : છાંયા વિસ્તારમાં માતા વિનાની ૩ સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાની પોલીસ ધરપકડ કરીને આજ રોજ ૧૦ થી ૧ર દિવસની રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.

ત્રણ સગીરવયની પુત્રીઓની માતા ર વર્ષ પહેલા અવસાન પામેલ અને ત્રણેય પુત્રીને જુનાગઢ હોસ્ટેલમાં રાખવામાં આવી હતી. પરંતુ વિકૃત પિતા રજાઓમાં પુત્રીને પોરબંદર ઘેર લઇ આવતો અને દુષ્કર્મ આચરતો હતો. તાજેતરમાં જન્માષ્ટમીએ સૌથી નાની પુત્રીને પોરબંદર લઇ આવેલ અને દુષ્કર્મ બાદ તબીયત બગડી હતી અને નાની પુત્રીએ મોટી બહેનને  આ વાત કહેલ અને જેની જાણ ભાઇને  વાત કરતા પિતાની વિકૃત છતી થઇ હતી અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છ.ે

પુત્રીઓ ઉપર બળાત્કાર ગુજારનાર પિતા ઇલેકટ્રીશીયન તરીકે કામ કરે છે. અને અગાઉ પણ બળાત્કારના કેસમાં જેલમાં સજા ભોગવી આવ્યો છે પિતા નશો કરવાની ટેવ ધરાવે છે. દુષ્કર્મની પોલીસ ફરીયાદ બાદ તેમને જામનગર મેડીલક ચેક અપ માટે લઇ જવામાં આવેલ. આરોપી પિતાને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુકરાશે.

(4:50 pm IST)