Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કાલાવડમાં જન્માષ્ટમી શોભાયાત્રાનું મુસ્લિમ - વ્હોરા સમાજ દ્વારા સ્વાગત

 કાલાવડ : જન્માષ્ટમી મહોત્સવ સંકલન સમિતિ દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવવામાં આવે છે. આ વર્ષે મુસ્લીમ સમાજના રજાકમીયા કાદરી, મુનાફભાઇ સોડીયા, ઇબ્રાહીમભાઇ સમા, ગુલાબભાઇ ફોગ, ગુલાબભાઇ ફકીર, જાવીદમીંયા, અબ્બાસભાઇ કલીવાળા, હસનભાઇ વોરા તેમજ વ્હોરાસમાજના અગ્રણ્ય યાહયાભાઇ માંકડા, શબ્બીરભાઇ, ભુખાભાઇ, મુલ્લાભાઇ, મુસ્તાનભાઇ ધનકોટ, અલીભાઇ માંકડા તેમજ વ્હોરા સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રા તેમજ રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, સંકલન સમિતિના સંયોજક અતુલભાઇ દોંગા, વિહિપ પ્રમુખ લખમણભાઇ, મંત્રી કમલેશભાઇ આશરા, સહ સંયોજક હસુભાઇ વોરાને બંને સમાજ દ્વારા શુભેચ્છા પાઠવી હતી અને સ્વાગત કરેલ હતુ. (તસ્વીર - અહેવાલ : કમલેશ આશરા, કાલાવડ)(૪૫.૯)

 

(12:20 pm IST)