Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ભાવનગર એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે

ભાવનગર ડિવિઝનમાંથી રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા વગેરે શહેરોમાં ૪૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે.

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: આવતીકાલે રક્ષાબંધનના તહેવારને લઈને ભાવનગર ડિવિઝન તરફથી 20 વધારાની બસો દોડાવાશે.
તેમજ આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવારોને લઈને ૧૮, ૧૯ અને ૨૦ ત્રણ દિવસ દરમિયાન ભાવનગર ડિવિઝનમાંથી રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા વગેરે શહેરોમાં ૪૦ જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે.
તેમ એ. કે .પરમાર ભાવનગર એસટી વિભાગ નિયામક ભાવનગર એ જણાવ્યું હતું.

(8:03 pm IST)