Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ખંભાળિયાઃ રામનગર વિસ્તારમાં બહેનોએ ગાયોના છાણ તથા માટીના પાર્થિવ શીવલીંગ બનાવી પુજન કર્યુ

લપી રોગચાળા નાશની પ્રાર્થના

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૦ : દ્વારકા વિસ્તારમાં ગૌમાતાઓમાં લમ્ફી રોગ વ્યાપક ફેલાયો હોય તથા આ રોગમાં ગાયોના મોત નિપજતા હોય ખંભાળિયાના રામનગર વિસ્તારમાં સેવાભાવી અગ્રણી પંકજભાઇ ભટ્ટની આગેવાનીમાં બહેનોએ ગાયનું છાણ તથા માટીમાંથીએક હજાર પાર્થિવ શિવલીંગ બનાવી તેની પુજા કરીને બે દિવસ  સ્થાપના તથા બિલ્વ પુજન કરીને ગાયોમાંથી આ   રોગનો નાશ  તથા ગૌ માતાઓને બચાવવા પ્રાર્થના કરી હતી તથા શાસ્ત્રોકત રીતે પાર્થિવ શીવલીંગોનુ પુજન કરીને પછી તેનુ વિધિવત નદીમાં વિસર્જન કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં નવચેતન શાખા પાસેના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(1:25 pm IST)