Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સોમનાથમાં ભક્‍તોની સેવામાં અત્‍યાધુનિક ક્‍લોકરૂમનું લોકાર્પણ

વેરાવળઃ શ્રાવણ માસ પર્વે આવનાર યાત્રિકો મોબાઈલ, પર્સ સહિતની વસ્‍તુ સુરક્ષા સાથે જમા કરાવી નિશ્‍ચિંત પણે દર્શનનો લાભ લઇ શકે, તેવા શુભ આશય સાથે વધુ સામાન રહી શકે તેવી ક્ષમતા સાથેના નવા ક્‍લોકરૂમનું ઉદઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્‍ટી પ્રવિણભાઇ લહેરી, જિલ્લા કલેક્‍ટર   આર જી ગોહિલ, જીલ્લા વિકાસ અધિકારી  રવીન્‍દ્ર ખતાલે, એચ.પી.સી.એલ. કંપની કોડીનારના જનરલ મેનેજર   બી.શેસાચારી,  દિપક પીલ્લઇ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.  એચ.પી.સી.એલ. કંપનીના અનુદાનથી ક્‍લોકરૂમની વ્‍યવસ્‍થા  ઉભી કરવામાં આવેલ છે.

(1:15 pm IST)