Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કાલે પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂ. રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રાવણી પર્વ : નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૦

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષાનુસાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રાવણ માસ પૂર્ણિમા નિમિત્તે તા. ૧૧-૦૮-૨૨, ગુરુવારના રોજ શ્રાવણી ઉપાકર્મની વિધિ સંપન્ન થશે.

સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલના  છાત્રાલયમાં ગુરુવારે સવારે ૮:૩૦ વાગ્યેથી શાસ્ત્રોકત વિધિવિધાન દ્વારા ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ સંપન્ન થશે. જેમાં પૂજ્ય ભાઇશ્રી પણ સંપૂર્ણ વિધિમાં જોડાશે.

આ શ્રાવણી ઉપાકર્મની વિધિમાં પોરબંદર શહેરમાં વસતા બ્રાહ્મણો જોડાઈ શકે છે. તે સૌ ભૂદેવોની ભોજન વ્યવસ્થા પણ સાંદીપનિમા કરવામાં આવશે. પોરબંદરથી આવનારા ભૂદેવોએ  ગિરિશભાઈ વ્યાસ (મો. 98242 84240) નો સંપર્ક કરવાનો રહેશે.

(12:53 pm IST)