Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

શુક્રવારે જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પુ. જેન્‍તીરામબાપાનો સત્‍સંગ

(વિનુ જોશી  દ્વારા) જુનાગઢ તા.૧૦ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણ ધામ આશ્રમ ખાતે શુક્રવારના રોજ શ્રાવણ સુદ પુનમ નિમિતે રાત્રે ૯ થી ૧૧ પુ. જેન્‍તીરામબાપાના ભજન સત્‍સંગનો કાર્યક્રમ યોજાનાર છે.

જેમાં પુ. જેન્‍તીરામબાપા આજના તનાવ ભર્યા જીવનમાં આધી વ્‍યાધી ઉપાધીના ત્રિવીધ તાપમાંથી મુકત થઇ પ્રસન્ન અવસ્‍થામાં જીવન કેમ જીવાય તેમજ નિરાકાર સ્‍વરૂપથી સાકાર સ્‍વરૂપની યાત્રા કેમ થાય તેમજ ધયાન સમાધી યોગમાં આગળ કેમ વધવુ તેનુ અનુભવ ગત માર્ગદર્શન પણ પુ.બાપા આપશે. આ અવસરે દેશ વિદેશમાંથી સત પરિવારના સત્‍સંગીઓ ઉપસ્‍થિત રહેશે જેને લઇને તમામ પ્રકારની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

(12:31 pm IST)