Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

દામનગરના શાખપુરમાં આયુર્વેદિક દવાખાનાનો જીર્ણોદ્ધાર કરવા માંગ

દામનગર : શાખપુર આયુર્વેદિક દવાખાનું ખૂબ માંદગીના બિછાને ગ્રામ્‍ય વિસ્‍તારો માટે આશીર્વાદ રૂપ ઘર આંગણે આર્યુવેદીક દવાખાનાની હાલત ખંઢેર હાલત  અંગે શાખપુરના સ્‍થાનિક અગ્રણીઓ, સરપંચ દ્વારા અગાઉ અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ જિલ્લા સાંસદ સહિતને લેખિત રજુઆત કરાય હતી. જેના અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થતા હતા. આ દવાખાનાનો સરકાર દ્વારા પુનઃ જીર્ણોદ્ધાર કરી લોકભોગ્‍ય બનાવાય તેવી સ્‍થાનિકોમાંથી બુલંદ માંગ ઉઠી રહી છે. આ અંગે ધારાસભ્‍ય ઠુંમરને લેખિત રજુઆત કરી છે. માંદગીના બિછાને પડેલ આર્યુવેદીક દવાખાનાનો તંત્ર દ્વારા ઈલાજ કરાવાય તે જરૂરી છે. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(12:28 pm IST)