Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ધોરાજીના અમીતભાઇ મેવાડાનું ચક્ષુદાન

ધોરાજી : જામકંડોરણા રોડ પર આવેલા ગણેશપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઇ મેવાડાના પુત્રનું અવસાન થતાં પોતાના પુત્રનું ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે સ્વ. અમીતભાઇ ભરવાડના ચક્ષુદાન માટે ડો. જયેશ વેરટેરીયન, ડો. રાજબેરા અને ડો. ગૌરવ હાથલીયા અને મેડીકલ ટીમના નીતીનભાઇ સાગઠીયા સહીતનાઓએ ચક્ષુદાનની પ્રક્રીયા કરેલ હતી. આ તકે ભરવાડ સમાજના અગ્રણીઓ અને સુખાભાઇ મેવાડા, રાજુભાઇ મેવાડા, વજુભાઇ મેવાડા, જીણાભાઇ મેવાડા, રાણાભાઇ જાયડા, થોભણભાઇ બાંભવા, મુન્નાભાઇ ટારીયા, ગાંડુભાઇ ટારીયા સહીતના પરીવારજનો હાજર રહેલા. ચક્ષુઓ રાજકોટ ખાતે જી.ટી. શેઠ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા હતા. આ તકે ભરવાડ સમાજના અગ્રણીઓએ માનવ સેવા યુવક મંડળની સેવાઓને બિરદાવી હતી. અન માનવ સેવા યુવક મંડળને ૫૪મું ચક્ષુદાન મળેલ હતું. (તસ્વીર-અહેવાલ : ધમેન્દ્ર બાબરીયા ધોરાજી)

(12:10 pm IST)