Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ઉના તાલુકા બ્રહ્મસમાજના તમામ ભાઇઓ કાલે સમુહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે

ઉના તા. ૧૦ :.. શહેર તથા તાલુકાનાં તમામ ઋષિ પુત્રો આવતીકાલે તા. ૧૧ ને ગુરૂવારે ખોડીયાર આશ્રમે સમુહમાં જનોઇ બદલાવશે.

આમોદ્રા રોડ ઉપર આવેલ ખોડીયાર માતાજીના આશ્રમના સંકુલમાં ઉના શહેર તથા તાલુકાનાં સમસ્‍ત બ્રહ્મ સમાજનાં ઋષિ પુત્રો (ભાઇઓ) તા. ૧૧ ને ગુરૂવારે બળેવ (શ્રાવણી) પૂર્વની ઉજવણી કરશે. સવારે ૭.૩૦ કલાકથી નુતન જનોઇ ધારણ કરવાની વિધી કરવામાં આવશે જે ૧૧.૩૦ કલાકે વિધી પુર્ણ થયા પછી આરતી કરાશે બપોરે ૧ર કલાકે સમુહ મહાપ્રસાદ સહપરિવાર લેશે ઉનાથી ખોડીયાર આશ્રમે જવા માટે કન્‍યા વિદ્યાલયથી વાહનની વ્‍યવસ્‍થા વિના મુલ્‍યે આવવા-જવા માટે કરેલ છે. મોટી સંખ્‍યામાં પધારવા શ્રી ખોડીયાર મંદિર આશ્રમ સેવક ગણ-અમોદ્રાએ નિમંત્રણ આપેલ છે.

(12:07 pm IST)