Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

અમરેલીનાં મહિલા સિવિલ સર્જન ડો. શોભના મહેતા અને ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારને કોરોના

અમરેલી, તા. ૧૦ :  અમરેલીના મહિલા સિવિલ સર્જન તથા ભાજપ અગ્રણીને કોરોના પોઝીટીવ આવતા ચિંતા પ્રસરી ગઇ છે.

અમરેલીના સીવીલ સર્જન અને ભાવનગરની નાયબ નિયામક ડો. શોભનાબેન મહેતા અને અમરેલીના ભાજપ આગેવાન કોરોના વોરીયર સેવા આપનાર ડો. ભરતભાઇ કાનાબારને પણ કોરોના પોઝીટીવ આવ્યાના સમાચાર મળ્યા છે. જો કે ડો. ભરત કાનાબાર પોતાના ઘરે જ કોરોટાઇન થયા છે અને તેના સંપર્કમાં આવેલાઓને આઇસોલેટ થવા અનુરોધ કર્યો છે. આમ તબીબી ક્ષેત્રે સેવા આપનાર કોરોનાની લપેટમાં આવી જતા લોકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે.

(3:32 pm IST)