Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

મોરબી રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘરે જઈને શિલ્ડ અને ઇનામો વિતરણ

મોરબીઃ રાજપૂત સમાજ દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઈને તેજસ્વી વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને શિલ્ડ તેમજ રાજવી પરિવાર તરફથી અપાયેલ રિસ્ટ વોચ ભેટ આપી સન્માન કરાયું હતું

મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ જુલાઈ માસના છેલ્લા રવિવારે યોજવામાં આવે છે પરંતુ આ વર્ષે ૪૮ મો સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ કોરોના મહામારીના કારણે થઈ શકે તેમ ન હોય તેમ છતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જે વિદ્યાર્થીઓએ સારા માકર્સ મેળવેલ હતા તેવા વિદ્યાર્થીઓને રાજપૂત સમાજ ટીમના હોદેદારો દ્વારા શીલ્ડ તથા મોરબી રાજવી પરિવાર તરફથી અપાયેલ રિસ્ટવોચ આપીને રૂબરૂ દ્યરે જઈને સન્માનિત કરવામાં આવ્યા હતા રાજપૂત સમાજ અગ્રણી રઘુવીરસિંહ ઝાલા અને મહાવીરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.

(12:51 pm IST)