Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ભાવનગરમાં કોરોનાથી ૨ના મોત : ૩૫ કોરોના પોઝીટીવ

જિલ્લામાં નોંધાયેલા ૧૮૩૧ કેસો પૈકી ૪૪૧ દર્દીઓ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી)ભાવનગર,તા. ૧૦: ભાવનગર જિલ્લામાઙ્ગ ૩૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૮૩૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના ઉખારલા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના તરેડ ગામ ખાતે ર, મહુવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૨, પાલીતાણા તાલુકાના જમાણવાવ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના પાલડી ગામ ખાતે ૧ તથા તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૧૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૮ અને તાલુકાઓના ૧૨ એમ કુલ ૪૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે અને સિહોર તાલુકાના થોરડી ગામ ખાતે રહેતા કોરોના પોઝીટીવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૧,૮૩૧ કેસ પૈકી હાલ ૪૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૩૫૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:15 am IST)