Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મોરબીમાં રાત્રી કર્ફ્યુના અંતિમ દિવસે ૨૫ નાગરિકો કર્ફ્યું ભંગ કરતા ઝડપાયા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મોરબી સહિતના શહેરોને રાત્રી કર્ફ્યુંમાંથી મુકિત આપવાનો નિર્ણય કરાયો છે અને ૧૦ જુલાઈથી રાત્રી કર્ફ્યુંમાંથી મુક્તિ આપવામાં આવી છે તે પૂર્વે રાત્રી કર્ફ્યુની અંતિમ રાત્રીના નિયમભંગ કરનાર ૨૫ ઝડપાયા હતા

મોરબી શહેરમાં શુક્રવારે રાત્રીના રાત્રી કર્ફ્યુના અંતિમ દિવસે કર્ફ્યુંની અમલવારી કરાવવા એ ડીવીઝન પીઆઈ બી પી સોનારાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નગર દરવાજા ચોક સહિતના વિસ્તારમાંથી ૨૫ નાગરિકોને રાત્રી કર્ફ્યું ભંગ સબબ ઝડપી લેવામાં આવ્યા હતા કારણ વિના આંટા ફેરા કરી રાત્રી કર્ફ્યું ભંગ કરતા ૨૫ ઝડપાયા હતા જેની સામે એ ડીવીઝન પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(10:25 pm IST)