Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે દર્શન કર્યા.

મુખ્યમંત્રીએ દિવંગત સંત પ્રમુખસ્વામી મહારાજના સમાધિસ્થળના દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો.

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બોટાદ જિલ્લાના સાળંગપુરના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રભુ દર્શન કરી  સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામી મહારાજની સમાધિના પણ દર્શન કરી આસ્થાભાવ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાત ઝડપથી કોરોનામુક્ત બને, આ વર્ષે સારો વરસાદ વરસે અને ગુજરાતના વિકાસના નવા સોપાનો સર કરે તેવી અભ્યર્થના કરી હતી.

આ અવસરે નારાયણમુની સ્વામી, આત્મતૃપ્ત સ્વામી અને ઘનશ્યામપ્રિય સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂજ્ય સંતશ્રીઓ, ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગઢડાના  ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, રેન્જ આઈજી, જિલ્લા પોલિસ અધિક્ષક સહિતના અધિકારીશ્રીઓ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહયા હતા

(8:04 pm IST)