Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વીજ તંત્ર દ્વારા ૨૨૨૮ થાંભલા ઉભા કરવા સવારથી દોડધામ : જામનગર જિલ્લાના ૧૭ ગામમાં પાણી ભરાયેલા હોય વીજ પુરવઠો ઠપ્પ હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ ૯૭ ફીડર ફોલ્ટમાં

વીજ તંત્રના કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ આજ સવારથી રાજકોટ જિલ્લાના ૨૨૬ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કુલ ૨૨૨૮ વીજ થાંભલા પડી ગયા છે તે ઉભા કરવા ટીમો કાર્યરત બની છે. સૌથી વધુ થાંભલા જામનગર જિલ્લામાં ૧૫૭૭ જમીનદોસ્ત છે : જામનગરના ૧૭ ગામો સિવાય તમામ ગામોમાં વીજ પુરવઠો કાર્યાન્વીત : ૧૭ ગામોમાં હજુ પાણી ભરાયેલા હોય કામગીરીમાં અડચણ : ૯૭ ફીડર હજુ બંધ : ૭૯ ટ્રાન્સફોર્મર બદલવા થઇ રહેલી કાર્યવાહી

(11:51 am IST)