Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ટંકારા એસટી બસ સ્ટેશનમાં સવારે ૬ વાગ્યાથી મુસાફરોની થર્મલ ચકાસણી કરવા માંગણી

ટંકારા,તા.૧૦: ટંકારામાં એસટી બસો મુસાફરો ની થર્મલઙ્ગ ચકાસણી સવારે છ વાગ્યાથી શરૂ કરવા માંગણી ઉઠી છે.

તે હાલમાં મુસાફરોના ટેમ્પરેચર ની ચકાસણી સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી કરવામાં આવે છે અને ફકત એક જ કર્મચારીની નિમણૂક કરવામાં આવેલ છે.

સવારે છ વાગ્યાથી બસો શરૂ થાય છે જે રાત્રે ૮ વાગ્યા સુધી ચાલુ હોય છે મોરબી થી ઉપડતી મોરબી વેરાવળ બસ સવારે ટંકારા ૬ૅં૧૫ આવે છે પેસેન્જરોએ ઓનલાઇન બુકિંગ કરાવી હોવા છતાં મુસાફરોની થર્મલ ચકાસણીની સુવિધા ન હોવાથી મુસાફરોએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હોવા છતાં મુસાફરી કરી શકતા નથી. સવારે ૬ થી ૮ વાગ્યા સુધી બસ ઉભી રહેતી નથી અથવા મુસાફરોને લેતી નથી .આ રીતે સાંજના છ વાગ્યા સુધી પછી પણ બને છે

મુસાફરોને સવારે ૬ થી ૮ સુધી ફરજીયાત ખાનગી વાહનમાં બેસવું પડે છે એસ.ટી.બસમાં ટંકારા થી રાજકોટ નું ભાડું ૩૨ રૂપિયા છે ત્યારે ખાનગી વાહનમાં ૧૦૦ રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.

મોરબી, વાંકાનેર તથા હળવદ ખાતે એસ.ટી.બસ સ્ટેશનમાં મુસાફરોની થર્મલ ચકાસણી સવારના છ વાગ્યાથી શરૂ થાય છે. ટંકારામાં પણ આ રીતે સવારના ૬ વાગ્યાથી મુસાફરોનીઙ્ગ ચકાસણી કરવાની માગણી છે. જેથી પેસેન્જર મુસાફરી કરી શકે.

ટંકારા લતિપર ચોકડી એ ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. એક તરફ રાજકોટ જવાનો બસ સ્ટોપ, તો બીજી તરફ મોરબી જવાનો બસ સ્ટોપ અને ત્રીજી તરફ જામનગર જવાનો બસ સ્ટોપ છે .એક જ કર્મચારી ને સવારે આઠથી સાંજના ૬ સુધી જે તરફ બસ આવે ત્યાં દોડાદોડી કરવી પડે છે મુસાફરોને પરેશાની ભોગવવી પડે છે. બે કર્મચારીઓની નિમણૂક કરવાની જરૂરિયાત છે .

સવારના ૬થી રાત્રિના આઠ સુધી મુસાફરી ૬ થી રાત્રે ૮ થી મુસાફરોની થર્મલ ચકાસણી થઈ શકે તે માટે યોગ્ય કરવાની લોકોની માગણી ઉઠી છે.(

(11:43 am IST)