Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

જામનગરના એસ.ટી. ડ્રાયવરે બસ ચલાવી બેદરકારી દાખવતા સસ્પેન્ડ કરાયા

દ્વારકાના બેડ ગામ પાસે વરસાદના પાણીમાં

જામનગર તા. ૧૦ : જામનગર ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી. ડ્રાયવર વાસુદેવ એન.વાઘેલાને બેદરકારી ભર્યુ ડ્રાઇવીંગ કરી મુસાફરોની જીંદગી જોખમમાં મુકવા બદલ એસ.ટી.ના વિભાગીય નિયામકે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત મુજબ જામનગર ડેપોના ડ્રાયવર વાસુદેવ વાઘેલા તા. ૭ જુલાઇના રોજ કૃષ્ણનગર દ્વારકા રૂટની બસમાં જતા હતા તે દરમિયાન બેડ ગામ નજીક રોડ પર વરસાદના ધસમસતા પાણીમાંથી બસ ચલાવીને મુસાફરોની જીંદગી જોખમમાં મુકવા પ્રયત્ન કરેલ.

ત્યારબાદ આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વારલ થતા જામનગર ડેપોના અધિકારી એમ.બી. રાવલે એસ.ટી.ની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તેમજ મુસાફરોની જીંદગી જોખમમાં મુકવા સબબના કારણ યોગ્ય ખાતાકીય તપાસ કરીને ડ્રાયવરને સસ્પેન્ડ કરવા કર્મચારીઓમાં સોપો પડી ગયો છે.(

(11:36 am IST)