Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ભાવનગરમાં કોરોનાથી ૩ મોતઃ વધુ ર૭ કેસ

ગોહીલવાડમાં વિકરાળ સ્વરૂપ લેતી મહામારીઃ તંત્ર ઉંધા માથેઃ સતત વધતા કેસથી લોકો ચિંતીત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૦ :.. ભાવનગર શહેર અને જીલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને આજે એક જ દિવસમાં કોરોનાથી ૩ વ્યકિતનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આજે સવારે કોરોના પોઝીટીવનાં વધુ ર૭ કેસ નોંધાયા છે.

 

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ સ્વરૂપ લેતો જાય છે. આજે સવારે વધુ ર૭ પોઝીટીવ કેસ નોંધાતા અને એકનું કોરોનાથી મોત નિપજતાં ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે. તંત્ર પણ ઉંધા માથે થયુ હોય તેમ દોડધામ મચી ગઇ છે.

 

કાતીલ કોરોના વાયરસે ભાવનગરમાં કારો કેર વર્તાવ્યો છે રોજરોજ મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ નોંધાતા અને મૃત્યુઆંક પ૩પ વધી રહ્યો હોય હડકંપ મચી ગયો છે. લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે.

દરમ્યાન આજે સવારે ભાવનગરમાં વધુ ર૭ પોઝીટીવ દર્દીનાં નામ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને એકનું મોત થયું છે.

ભાવનગરનાં મહુવાના ગોરસનાં જટાશંકર મણીશંકર પંડયા ઉ.૬૦ નો મોડી રાત્રે પોઝીટીવ કેસ આવ્યા બાદ હોસ્પીટલ ખસેડાયા બાદ વહેલી સવારે મોત નિપજયુ હતું. આ સાથે ભાવનગરમાં કોરોના થી મૃત્યુ આંક વધીને ૧૪ થયો છે. જયારે ભાવનગર શહેરમાં વધુ ર૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા આ કેસ જુના હોવાનું જણાવાયુ છે પરંતુ આ નામો અગાઉ જાહેર થયેલ ન હોય ભારે ચર્ચા જાગી છે.

દરમ્યાન આજે સવારે ભાવનગરમાં વધુ ર૮ પોઝીટીવ દર્દીના નામ જાહેર કરાયા છે. જેમાં બે નાં મોત નિપજયા છે. જયારે  ત્રીજુ મોત પણ થયુ છે જે કોરોના સાથે અન્ય બીમારીમાં ગણશે તેમ તંત્ર દ્વારા જાહેર કરાયુ છે. આમ ભાવનગરમાં આજે સવારે કુલ ત્રણનાં મોત નિપજયા છે.

ભાવનગરનાં હાદાનગર સત્ય નારાયણ સોસાયટીમાં રહેતાં પાર્વતીબેન રમેશભાઇ સરવૈયા ઉ.પ૮ નું કોરનાથી મોત નિપજયુ છે. જયારે ભાવનગરનાં ભંડારીયા ગામનાં વલ્લભભાઇ નરસીશભાઇ ગોરી (ઉ.પપ) નું આજે સવારે કોરોના અને અન્ય બીમારી નિપજયુ છે. આ દર્દી તા. ર-૭ નાં રોજથી પોઝીટીવ કેસ આવ્યા બાદ ભાવનગરની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યો હતો.

જયારે ભાવનગર જીલ્લાનાં મહુવાનાં ગોરસનાં જટાશંકર મણીશંકર પંડયા ઉ.વ. ૬૦ નું કોરોનાથી મોત નિપજયુ છે. આમ કોરોનાથી બે અને કોરોના અને અન્ય બિમારીથી એક સહિત કુલ ત્રણનાં મોત નિપજયા છે.

ભાવનગરમાં કોરોનાથી મૃત્યુ આંક વધીને ૧પ થયો છે.

(11:02 am IST)