Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ છલકાયો : પંથકના ગામડામાં ખુશીનો માહોલ

દ્રોણેશ્વર ડેમમાંથી 20 ગામોને પીવાનું પાણી અને 15 ગામને સિંચાઈ માટે અપાઈ છે પાણી

ગીર પંથકમાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી પધરામણી કરી હતો ખાસ કરીને ગીર ગઢડા કોડીનાર અને સુતરાપાડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદનાં પગલે ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ છલકાયો હતો
   ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામડાઓમાં પણ ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણ કે, દ્રોણેશ્વર ડેમમાંથી અંદાજીત 20 જેટલાં ગામોને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. જ્યારે 15થી વધુ ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.

(8:26 pm IST)