Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

લોધીકાના ખાંભા અને રાતૈયામાં જનાવરે બે બાળકોનો જીવ લીધો

૩ વર્ષની રવિના અને ૧૦ વર્ષના અનિલના મોતઃ આદિવાસી પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧૦: ઝેરી જનાવર કરડવાના બે બનાવમાં આદિવાસી બાળક અને બાળકીના મોત નિપજ્યા છે. આ બનાવ લોધીકાના ખાંભા અને રાતૈયા ગામે બન્યા છે.

જાણવા મળ્યા મુજબ ખાંભા ગામે ખોડાભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં સુખરામ ભુરીયા (આદિવાસી)ની દિકરી રવિનાને તા.૫ના રોજ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આજે વહેલી સવારે તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

બીજા બનાવમાં લોધીકાના રાતૈયા ગામે અર્જુનસિંહ જાડેજાની વાડીમાં રહી મજૂરી કરતાં દાહોદના ધાનપુરના સુનિલ નરવાયાના દિકરા અનિલ (ઉ.૧૦)ને સાંજે વાડીએ રમતો હતો ત્યારે જનાવર કરડી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અનિલ બે ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. બનાવથી માતા-પિતા શોકમાં ગરક થઇ ગયા હતાં. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોત્તરે કાગળો કરી લોધીકા પોલીસને જાણ કરી  હતી.

(11:51 am IST)