Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભાઇચારાની ભાવના...ધોરાજીમાં મુસ્લિમ સમાજ દ્વારા આવેદન

ધોરાજી : તાલુકાના ભાડેર ગામે પટેલ યુવાનની  હત્યાથી ખોટી અફવાનું બજાર ગરમાયું છે ત્યારે ધોરાજી ખાતે સબંધિત અધિકારીને સુન્ની સંધી મુસ્લિમ સમાજ અને એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર પાઠવી ભાઇચારાની ભાવના કેળવવા માંગણી ઉચ્ચારાઇ છે... વધુમાં ઉમેર્યુ છે કે, હત્યાનો બનાવ અંગત અદાવતમાં બન્યો છે. જેમાં સમાજના બીજા કોઇ વ્યકિતને લેવા - દેવા નથી. તો ખોટી અફવાઓથી ચેતવું જરૂરી છે. સાથે સાથે તંત્ર દ્વારા પણ નિર્દોષ વ્યકિતઓને હેરાન કરવામાં ન આવે તેવીલાગણી વ્યકત કરી હતી. તે તસ્વીરોમાં દર્શાય છે.

(11:46 am IST)