Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જામજોધપુર-ધુનડાના પૂ. જેન્તીરામબાપાનો લેસ્ટર-યુકે રામ મંદિરે સત્સંગ-આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

જૂનાગઢઃ લેસ્ટર-યુકે રામ મંદિર ખાતે ધુનડા સતપુરણધામ આશ્રમના સંત પૂ. જેન્તીરામબાપાનો સત્સંગ યોજાયો હતો. જેમાં કનુદાદા રાજગુરૂજી ભાગવતાચાર્ય (સુરત) તેમજ ભાવિકો ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો. તેમજ લેસ્ટર યુકેના સનાતન મંદિર ખાતે પૂ. ચિદાનંદ સરસ્વતી (પૂ. મુનિજી) સાધ્વી ભગવતી સરસ્વતીજીનો આધ્યાત્મિક પ્રશ્નોત્તરી સત્સંગના કાર્યક્રમમાં પૂ. રાજરાજેશ્વરગુરૂજી, પૂ. જન્તીરામબાપા, પૂ. નેહાદીદી સારસ્વત, પૂ. નિરંજન સ્વામી, મથુરદાસબાપુ તેમજ વિનોદભાઈ પોપટ, ભારતીબેન આચાર્ય, વિભૂતિબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે (અહેવાલ-અહેવાલઃ વિનુ જોષી-જૂનાગઢ)

(11:44 am IST)