Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોમનાથમાં સંઘની ત્રણ દિવસીય મહત્વપૂર્ણ બેઠક: ટોચના પદાધિકારીઓ - તમામ પ્રાંત પ્રચારકો ઉપસ્થિત

નવી કામગીરી સોંપવી, સંગઠનના કામકાજ પર વિચારણા સહિતના મુદ્દે ચર્ચાવિચારણા થશે

રાજકોટ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના પદાધિકારીઓની ત્રિદિવસીય એક મહત્વપૂર્ણ બેઠક સોમનાથમાં શરૂ થઈ છે આ બેઠકમાં આરએસએસના તમામ પ્રાંત પ્રચારકો ભાગ લઈ રહ્યા છે.   આ ત્રિદિવસીય બેઠકમાં પ્રચારકોને નવી કામગીરી સોંપવી, સંગઠનના કામકાજ પર વિચારણા જેવા મામલે ચર્ચાવિચારણા થશે. આરએસએસના પ્રાંત પ્રચારકો દર વર્ષે જુલાઈમાં આવી બેઠક કરતા હોય છે. તેમાં નાગપુર મુખ્યમથક ખાતે સંપન્ન થયેલા સંઘ શિક્ષા વર્ગમાં થયેલા નિર્ણયને આગળ વધારવા મામલે વિચારણા કરવામાં આવે છે. મે માસમાં યોજાનારા સંઘ સિક્ષા વર્ગમાં કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે.

(11:34 am IST)