Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વિરમગામમાં જુની અદાવતમાં ૧૦૦ લોકોનો પથ્થરમારોઃ ૬ને ઇજા

 વઢવાણ તા.૧૦ : વિરમગામના ઐતિહાસીક રામમહેલ મંદિર નજીક મોડી રાત્રીના જુની અદાવતમાં ૧૦૦ જેટલા લોકોના ટોળાએ હુમલો કરતા ૬ને ઇજા થઇ હતી.  મંદિર પાસેના મહોલ્લામાં પ૦ થી ૧૦૦ જેટલા લોકોના ટોળાએ જુની અદાવતે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૬ થી વધુને ઇજાગ્રસ્ત હાલતમાં વિરમગામની ગાંધી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે.આ બનાવ બાદ વિરમગામ ટાઉન પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને બંદોબસ્ત ગોઠવી દેવાતા હાલ પરિસ્થિતી કાબુમાં છ.ે      તસ્વીરમાં ઇજાગ્રસ્તો તથા ઘટના સ્થળ નજરે પડે છ.ે (તસ્વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(3:56 pm IST)