Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પૂ. મહંત સ્વામી બુધવારથી મોરબીમાં

૧૬મી સુધી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે શિલાન્યાસ મહોત્સવ ઉજવાશે

મોરબી, તા.૧૦: બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે તા. ૧૨ થી ૧૬ દરમિયાન બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ઝુલતા પુલની બાજુમાં મોરબી-૨ ખાતે શિલાન્યાસ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

જે મહોત્સવમાં તા. ૧૨ ને બુધવારના રોજ સવારે ૮થી ૧૦:૩૦ કલાકે શિલાન્યાસ વિધિ, સવારે ૧૦: ૩૦ થી બપોરે ૧૨ સુધી મહોત્સવ સભા અને બપોરે ૧૨ થી ૦૧:૩૦ સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત પ.પુ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તા ૧૨ થી ૧૬ દરમિયાન સાંજે ૦૭: ૩૦ થી ૦૮:૩૦ કલાકે કથાવાર્તા-પારાયણ યોજાશે તેમજ તા. તા. ૧૩ ના રોજ વિરાટ મહિલા સંમેલન, તા. ૧૪ ના રોજ બનીએ મંદિર ઉમંગે, તા. ૧૫ ના રોજ શ્રી હરિકૃષ્ણ મહારાજ રજતતુલા મહોત્સવ અને તા. ૧૬ ના રોજ કરીએ મંદિર ઉમંગે સહિતના ધાર્મિક મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે જે મહોત્સવનો હરિભકતોએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

(12:13 pm IST)