Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કેશોદના કેવદ્રા પાટિયા પાસે ટેમ્પો પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત :૭ લોકો ઘાયલઃ મૃતકો ગોધરાના રહેવાસી

માંગરોળથી ગોંડલ જતા સમયે કેવદ્રા પાટીયા પાસે અકસ્માત

કેશોદ, તા.૧૦: કેશોદ નજીક કેવદ્રા પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો. જેમાં ટેમ્પોએ રસ્તા પર પલ્ટી મારતા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જયારે સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માત માંગરોળથી ગોંડલ જતા સમયે કેવદ્રા પાટીયા પાસે થયો હતો. અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ગોધરાના રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.

(3:42 pm IST)