Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કેશોદના અજાબમાં એક જ દિવસમાં ૭ના મોત

(કમલેશ જોષી દ્વારા) કેશોદ તા. ૧૦ : કેશોદ તાલુકાના અજાબ ગામે એક જ દિવસમાં ૭ લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોમાં ૫ કોરોનાના દર્દી હતા જેમા ૩ હોમ કવોરન્ટાઇન અને ૨ ને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજયા હતા મૃતકો પૈકી એકની વય ૪૫ વર્ષની હતી.

અજાબમા લોકોને કોરોનાની બીમારીમાં ઓકસીજન સાથે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મગનભાઈ અઘેરા સહિત ગામનાં આગેવાનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મદદથી કોવીડ કેર સેન્ટર શરૂ કર્યુ છે. તેમનાં જણાવ્યાનુસાર કોરોનાનુ સંક્રમણ અટકે એ માટે તમામ કડક પગલાં ભરવા છતા ગામમાં એક જ દિવસમાં ૭ લોકોના મોતને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે.

(11:11 am IST)