Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ભાવનગરમાં સગીરા સાથે સામુહિક બળાત્કાર :સગીર સહીત ચાર આરોપીઓ ઝડપાયા

ફોઈના ઘરે રમવા ગયેલી સગીરાને શિવાજી સર્કલ પાસેથી ધાક ધમકી આપી ઉઠાવી જઈને ચાર નરાધમોએ પીંખી નાંખી

 

ભાવનગરમાં સગીરા સાથે સામુહિક બળાત્કાર કરનાર ચાર નરાધમોની પોલીસે ધરપકડ કરી છે ફોઇના ઘરે રમવા ગયેલી સગીરા પોતાના ઘરે પરત ફરતી હતી ત્યારે શિવાજી સર્કલ નજીક ધાકધમકી આપીને ઉઠાવી જઈને નરાધમોએ પીંખી નાખી હતી. પરિવારની ફરિયાદના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને વિવિધ કલમો લગાવીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

    જાણવા મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં એક સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. સગીરા પોતાની નાની બહેન સાથે ફોઇના ઘરે રમવા માટે ગઇ હતી. ત્યાં સાંજના સાતેક વાગ્યાની આસપાસ ઘરે પરત જતાં હતા. તે સમયે શિવાજી સર્કલ પાસે પ્રકાશ નામનો છોકરો તથા બીજા ત્રણ અજાણ્યા યુવકો તેની પાસે આવ્યા હતા. અને પ્રકાશે કહ્યું હતું કે, ચાલ અમારી સાથે નહીં આવે તો તેને અને તારા ફોઇ તથા તારા બાપુને મારી નાખીશું.

ધમકી આપ્યા બાદ સગિરાને બળજવરીથી ગાયત્રીનગર બાજુ લઇ ગયા હતા. અને તેની નાની બહેન બીકની મારી નાસી ગઇ હતી. ગાયત્રીનગર શંકરના મંદિર પાસે લઇ જઇ ધમકી આપીને મોડી રાત્રી સુધી બેસાડી રાથી હતી. સાથે મોડી રાત્રે પ્રકાશે તેની સાથે મરજી વિરુદ્દ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પ્રદિપ, મનિષ તથા નિવરે પણ તેની સાથે વારાફરથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ સગીરાને શિવાજી સર્કલ પાસે મુકીને ફરાર થઇ ગયા હતા. અને સગીરા શિવાજી શર્કલ પાસે સુઇ ગઇ હતી.

પરિવારના સભ્યો તેને શોધવા નિકળતા ભોગ સગીરા શિવાજી સર્કલ પાસેથી મળી આવી હતી. સગિરાએ પોતાની તમામ હકીકત પરિવારને કહી હતી. પરિવારને અંગેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં પ્રકાશ સહિતના તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને વિવિધ કલમો લગાડીને આગળની કાર્યવાહી હાથધરી હતી

   ઝડપાયેલ આરોપીઓમાં  નિરવ જયંતીભાઇ શિયાળ (ઉવ. ૨૪) ( રહે. ભાવનગર ઘોઘા જગાત નાકા રામાપીરના મંદિર પાસે , મનીષ હિમતભાઇ ઢાપ (ઉવ. ૧૯) ( રહે. ભાવનગર ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર, પ્રદિપ ઉર્ફે ટવિંન્કલ કાન્તીભાઇ ઢાપ (ઉવ. ૨૧ ) (રહે. ભાવનગર ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર અને) કાયદાના સંર્ઘષમાં આવેલ બાળ કિશોર નો સમાવેશ થાય છે  

(11:56 pm IST)