Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

લાંચ કેસમાં ગોંડલના સેલટેક્ષ કમિશ્નરને ત્રણ વર્ષની સજા

જીનીંગ ફેકટરીના ટીન નંબર મેળવવા રૂ. પ૦ હજારની લાંચ માંગી હતીઃ બાદમાં ર૦ હજાર લેતા એ.સી.બી.ના છટકામાં સેલટેક્ષ કમિશ્નર મહેશદાન ગઢવી ઝડપાઇ ગયા હતાઃ સરકાર પક્ષનો કેસ સાબીત થતાં કોર્ટે સજા ફટકારી

રાજકોટ તા. ૧૦ :.. લાંચના ગુનામાં સેલ-ટેક્ષ કમીશ્નરને ત્રણ વર્ષની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટૂંકી હકિકત એવી છે કે, તા. ૧૮-૧ર-ર૦૦૮ ના અરસામાં ગોંડલમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતાં એડવોકેટ હીતેશ ગોવિંદભાઇ સાવલીયાએ પોતાના અશીલ એટલે કે ગોંડલમાં આવેલ વ્હાઇટ ગોલ જીનીંગ ફેકટરીના ટીન નંબર મેળવવા માટે ગોંડલની અંદર આવેલ સહાયક વાણીજયક વેરા કમીશ્નરશ્રી તરીકેની ફરજ બજાવતા મહેશદાન નટવરદાન ગઢવી પાસે ટીન નંબર મેળવવા માટે અરજી કરેલ હતી અને મહેશનદાન નટવરદાન ગઢવીએ ફરીયાદી હીતેશભાઇને કહેલ કે તમારે ટીન નંબર મેળવવા માટે વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડશે અને જો વધુ દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવા હોય તો તમારે મોટી રકમની જામીનગીરી આપવી પડશે જેથી ફરીયાદીએ એવું કહેલ કે મોટી રકમની જામીનગીરી આપવાની હોતી નથી જેથી કમીશ્નર ગઢવી એ કહેલ કે જો જામીનગીરી રજુ ન કરવી હોય તો વ્યવહાર કરવો પડશે સબબ ફરીયાદી પાસેથી કમીશ્નર ગઢવીએ જામીનગીરી રજૂ ન કરવી પડે તે હેતુસર લાંચ પેટે લાંચના વ્યવહારના રૂપિયા પ૦,૦૦૦ ની માંગણી કરેલ હતી જેથી ફરીયાદી હીતેશભાઇએ જણાવેલ કે મારે મારા અસીલ વ્હાઇટ ગોલ્ડ જીનીંગ ફેકટરીના માલીકોને લાંચ બાબતે વાત કરવી પડે.

ત્યારબાદ ફરીયાદી હીતેશભાઇ અને આ કામના આરોપી મહેશદાન ગઢવી વચ્ચે વાત થયેલ અને કમીશ્નર ગઢવીએ જણાવેલ કે વચ્ચેનો રસ્તો કાઢો અને વાતચીત ના અંતમાં છેલ્લે કમીશ્નર ગઢવીએ લાંચની રકમ પેટે રૂ. ર૦,૦૦૦ આપવા પડશે અને જણાવેલ કે જો મને  રૂ. ર૦,૦૦૦ નહીં આપવામાં આવે તો હું તમારી અરજી દફતરે કરી દઇશ સબબ પછી ફરીયાદી હીતેશભાઇએ લાંચ રૂશ્વત પોલીસ સ્ટેશન રાજકોટનો સંપર્ક કરેલ અને વેચાણ વેરા કમીશ્નર ગઢવી પાસે રૂ. ર૦,૦૦૦ ની લાંચ માંગણી અંગેની ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદ અનુસંધાને લાંચ રૂશ્વતના અધિકારીઓ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને તા. ૧૮-૧ર-૧૮ ના દિવસે હીતેશભાઇ પાસેથી રૂ. ર૦,૦૦૦ ની લાંચ લેતા વેચાણ વેરા કમીશ્નર મહેશદાન ગઢવીનાઓને રંગેહાથે પકડી પાડેલ અને પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલ લાંચનું છટકુ સફળતાપૂર્વક પાર પડેલ અને સજા પામેલ આરોપી વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારા અંતર્ગત ૧૩ (૧) (ઘ) તથા ૧૩ (ર) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ આ કામના આરોપી મહેશદાન ગઢવી સામે લાંચ રૂશ્વત ધારાના ગુનાહીત કૃત્ય અંગેનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કેશવજીભાઇ ડોબરીયા તેમજ જીલ્લા સરકારી વકીલ શ્રી એસ. કે. વોરા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારશ્રી તરફે ઉપરોકત બંને સરકારી વકીલ શ્રી દ્વારા સાહેદોને તપાસવામાં આવેલ. સબબ એડીશનલ સેશન્સ જજ શ્રી એમ. પી. પુરોહીતે આ કેસમાં ફરીયાદી તથા પંચની જૂબાની ને લક્ષમાં રાખી તથા રાજકોટ ખાતે ફરજ બજાવતા જીલ્લા સરકારી વકીલ શ્રી, શ્રી એસ. કે. વોરા અને ગોંડલ સેશન્સ અદાલત ખાતે ફરજ બજાવતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કે. ડોબરીયાની દલીલો ધ્યાને લઇ લાંચ રૂશ્વત ધારાની કલમ ૧૩ (૧) (ઘ) તથા ૧૩ (ર) મુજબના ગંભીર ગુન્હામાં આરોપી મહેશદાન ગઢવીને તકસીરવાન ઠરાવી સેશન્સ જજ શ્રી એમ. પી. પુરોહીત શ્રી એમ. પી. પુરોહીતે શ્રીનાઓએત્રણ વર્ષની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરા તથા સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતાં.

(11:54 am IST)