Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

માણાવદરની જીનીંગ મીલમાં આગ રૂ.૧ કરોડનો કપાસ ખાખ

જુનાગઢ તા. ૧૦ : માણાવદરની જીનીંગ મીલમાં આગ લાગવાને કારણે રૂ.૧ કરોડનો કપાસ ખાખ થઇ ગયો હોવાનું જાહેર થયું છે.

માણાવદરમાં રાવલપરા રોડ ખાતેની સરકારી હાઇસ્કુલ પાસે આવેલ હરિકુંજ જીનીંગ મીલમાં ગત રાત્રે કપાસની પ્રોસેસ દરમ્યાન અચાનક આગ ફાટી નીકળી હતી.

પ્રચંડ આગને બુજાવવા માટે જુનાગઢ મનપાના ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. આગથી સદ્દનસીબે કોઇ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.પરંતુ આગને લઇ કપાસની ૪પ૦ ગાંસડી ખાખ થઇ જતા રૂ.૧ કરોડનું નુકશાન થયુહોવાની જાહેરાત ગઇ કાલે સાંજે જીનીંગ મીલના સંચાલક કેવીન ચંદ્રકાંતભાઇ વાછાણીએકરતા માણાવદર પોલીસે નોંધ કરી હતી.

આ ઘટના અંગે પી.એસ.આઇ. પી.જે. બોદરેફોરેન્સીક નિષ્ણાતોની મદદ લઇ આગના મૂળ સુધી પહોંચવા માટે ઉંડી તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)