Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જામજોધપુરનાં ઇશ્વરીયામાં વૃધ્ધાનું મકાન પચાવી પાડતા આમરણાંત ઉપવાસની ચિમકી

જામજોધપુર, તા. ૯ :  તાલુકાના ઇશ્વરીયા ગામના રહીશ, વેજીબેન કાનાભાઇ ખર, પિતાના ઇશ્વરીયા ગામે રહેણાંક મકાનમાં રહે છે જે મકાનમાં ચંદ્રભાઇ રામાભાઇ વાધ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવા અને મારામારી કરી જાનથી મારી નાખવાથી ધમકી આપે છે જે અંગેની અરજી તા. ૧-૪ના રોજ આપવામાં આવેલ છતા પો. સ્ટેશનમાં કોઇ કાર્યવાહી થઇ નથી.

આ અંગે બાબભા જાડેજાને મકાન સોંપી દેવા અંગે વિનંતી કરતા જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ કબ્જો જમાવતા વગવાળા હોય પોલીસ ફરીયાદ લેતી ન હોય અને સામા ધમકાવતા હોય ચંદ્રભાઇ વાધ જયાબેન વાધ ડાયબેન રામજીભાઇ વિરૂધ્ધ ૩ર૩, પ૦૪, પ૦૬ (ર), ૩૮૬, ૪૦૩ તથા આઇ.પી.સી કલબ પ૦૪, પ૦૬ (ર) એટ્રોસીટી એકટ મુજબ એફ.આર.આઇ. નહિ નોધાય અને મકાનનો કબજો સોંપી પોલીસ રક્ષણ નહિ અપાયાની તા. ૧પ-પ-૧૯ સવારે ૧૧ કલાકે વેજીબેન ખર જામજોધપુર પોલીસ સ્ટેશને આમરણાંત ઉપવાસ પર ઉતરશે.

(11:26 am IST)