Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જામનગર : એડવોકેટ કિરીટ જોશીના હત્યારાનો સ્કેચ જાહેર કરતી પોલીસ : હત્યારાની માહિતી આપનારને પોલીસ આપશે રૂ. ૫૦ હજારનું ઇનામ

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોશીની કરવામાં આવેલી કરપીણ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ શોધી રહી છે ત્યારે હત્યારા નો સ્કેચ પોલીસે તૈયાર કરાવડાવ્યો છે અને જાહેર જનતાની જાન માટે જાહેર કર્યો છે. આવા કોઇ શંકાસ્પદ શખ્શ વિશેની જાણકારી પબ્લીકને મળે તો અધિક પોલીસ અધિક્ષક( મો. નં. ૯૯૭૮૪ ૦૮૧૯૧), એલસીબી પી.આઈ (મો. નં. ૯૯૦૯૯ ૭૭૨૭૭), તથા એસઓજી પીઆઇ (મો. નં. ૯૦૯૯૯ ૧૦૦૦૭) પર માહિતી આપવા જણાવવામાં આવ્યું છે અને માહિતી આપનારને રૂપિયા 50,000નાં ઇનામની પણ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

(10:29 pm IST)