Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મગફળી સળગાવવાના કૌભાંડના વિરોધમાં કાલે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ, ધરણા, આવેદન

અમરેલીમાં વિરજીભાઇ ઠુંમરની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાશે

રાજકોટ, તા. ૧૦ : સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી કરાયેલ મગફળીના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાના વિરોધમાં કાલે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ, ધરણા, આવેદન, રેલી સહિતના કાર્યક્રમો યોજાશે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશ અનુસાર મગફળી ગોડાઉનમાં લાગતી આગ-મગફળી ઉત્પાદકોની મુશ્કેલીના વિરોધમાં કાલે શુક્રવાર સવારે ૧૦થી ૧ રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી ખાતે યોજવા તેમજ ૧ વાગ્યે કલેકટરશ્રીને આવેદનપત્ર આપવા માં આવશે.

જેમાં જીલ્લા સંકલન અર્થે રાજકોટમાં શ્રી કુંવરજીભાઇ બાવળીયા, અમરેલી-વિરજીભાઇ ઠુંમર, જૂનાગઢમાં જવાહરભાઇ ચાવડા, જામનગરમાં પ્રવિણભાઇ મુછડીયાને જવાબદારી અપાઇ છે.

અમરેલીમાં કાલે રાજમહેલ કમ્પાઉન્૯ ખાતે ભાજપ સરકારના મગફળી સળગાવવાના કૌભાંડના વિરોધમાં વીરજીભાઇ ઠુંમ્મરની આગેવાનીમાં પ્રતિક ઉપવાસ, ધરણા, આવેદન રેલી માટે કોંગ્રેસ પક્ષના તમામ હોદેદારો, કાર્યકરો અને ચૂંટાયેલા તમામ પદાધીકારીઓને હાજર રહેવા આદેશ કરાયો છે.

(1:06 pm IST)