Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સ્મશાન માટે જમીનની ફાળવણી ન કરાતા મોરબી કલેકટર કચેરીએ મૃતદેહ દફનાવવાની જાહેરાતથી દોડધામ

મોરબી, તા.૧૦: હાઇકોર્ટે ૫ મહિના પહેલા જમીન ફાળવવા આદેશ કર્યા છતા જમીન ન ફળવતાં દલિત સમાજે આપી મૃતકની લાશ કલેકટર કચેરીએ લાવવની ચમીકી આપી હતી જેમાં હજુ કોઈ ઉકેલ ન આવતા આજે મૃતદેહ ને કલેકટર કચેરી લાવવામાં રવાના થયા હતા

મોરબીના ખાનપર ગામમાં દલિત સમાજના સ્મશાનની જમીન મુદ્દે ૫ વર્ષ પહેલા વિવાદ થતા હાઈકોર્ટમા ફરીયાદ થઈ હતી. જે મુદે કોર્ટે ૫ માસમાં ઉકેલ લાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં સ્થાનિક તંત્રએ આજદિન સુધી સ્મશાન માટે જમીન ફાળવાવમાં ન આવતાં દલિત સમાજે કલેકટરને ૧૫ દિવસમાં જમીન ફાળવવામા નહીં આવે તો દલિત સમાજ કલેકટર કચેરી મા લાશ દફન કરવામા આવશે તેવી ચીમકી આપવામા આવી હતી. જેની મુદત બુધવારે પુર્ણ થઈ હતી.

ત્યારે ગઈકાલે દિવસે ગામનાં ડાયાભાઈ પમાંભાઈ પરમારનું મોત નીપજયું હતુ. અનેં સ્મશાનની જમીન ન મળતાં દલિત આગેવાનોએ અગાવ આપેલી ચીમકી મુજબ મોરબી કલેકટર કચેરીમાં લાશ દફનવવાનું જાહેર કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે આ સેન્સેટિવ મુદ્દે અડધી રાત્રે ૧.૦૦ વાગ્યે જીલ્લા કલેકટરે આર.જે. માકડિયાની આગેવાનીમાં એક તાકીદની બેઠક બોલાવામાં આવી હતી. જે બેઠક મોડી રાત સુધી ચાલી હતી.

 આ બેઠકમાં અધિક કલેકટર કેતન જોશી, એએસપી અક્ષય રાજ મકવાણા, ભાજપ અગ્રણી રાદ્યવજી ગડારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ મુદ્દે સમાધાન કરવા પ્રયાસ કર્યો હતા. જોકે સવારના પાંચ વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં કોઈ નક્કર નિરાકરણ ન થતા આજે ખાનપર ગામના દલિતો વૃદ્ઘના મૃતદેહને કલેકટર કચેરી લઈ આવવા નીકળ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવમાં આવ્યો હતો.(૨૨.૧૩)

(1:05 pm IST)