Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભાવનગર જીલ્લાના ૫૬ યાત્રિકો કેદારનાથ યાત્રામાં ફસાયા

બરફવર્ષા થતા યાત્રા અટકાવી પરંતુ તમામ સલામત

ભાવનગર તા.૧૦: કેદારનાથયાત્રામાં ભાવનગરના ૫૫ થી વધુ યાત્રિકો અટવાયા છે જોકે તમામ યાત્રીઓ સલામત હોવાનું જાણવા મળેલ છે મળતી વિગતો મુજબ કેદારનાથમાં જબરદસ્ત બરફવર્ષા થઇ રહી છે અને બરફની ચાદર છવાઇ ગઇ છે જેને કારણે હેલીકોપ્ટર સેવા પણ બંધ કરી દેવાતા આવી છે.

 

 હાલમાં કેદારનાથમાં ૧૦ હજાર જેટલા યાત્રાળુઓ ફસાયા છે જેમાં ભાવનગર શહેરના ૩૦ અને સિહોરના ૨૬ મળી ભાવનગર જિલ્લાના ૫૬ જેટલા યાત્રિકોનો  પણ સમાવેશ થાય છે. જો કે તમામ યાત્રિકો સલામત હોવાનાં સંદેશા પ્રાપ્ત થયા છે.

(11:45 am IST)