Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પડધરીમાં નવાઝખાનનો આપઘાત

ઘર સામે બગીચામાં ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવીઃ કારણ અંગે તપાસ

રાજકોટ તા. ૧૦: પડધરીમાં મુસ્લીમ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ય વિગતો મુજબ પડધરીમાં આંબેડકરનગરમાં રહેતા નવાઝખાન ઇલ્યાસખાન જલવાણી (ઉ.વ. ર૮) એ ગઇકાલે પોતાના ઘરની સામે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પડધરીના પી.એસ.આઇ. જે. એમ. પરમાર તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પી.એમ. માટે પડધરી હોસ્પીટલમાં ખસેડેલ હતો.મૃતક નવાઝખાન ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે. સંતાનમાં બે બાળકો છે અને બે ભાઇઓ સાથે સંયુકત પરિવારમાં રહે છે. આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)