Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

શ્રીહરિ મંદિર જુનાગઢ દર્શનાર્થીઓ માટે બંધ

જૂનાગઢ : દર્શનાર્થીઓ માટે શ્રીહરિ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ શ્રીહરિમંદિર તા.૧૨/૧૧/૨૦૨૦ વાઘબારસના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ હતું.  પરંતુ વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં કોવિડ-૧૯ની કેસો વધી રહ્યા હોય ત્યારે ફરીથી દર્શનાર્થીઓ માટે શ્રીહરિ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમયમાં શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વે વિગ્રહોની સેવા-પુજા અને આરતી નિયમિત સંપન્ન થશે. જેના દર્શનનો લાભ આપ સૌ sandipani.tv અને શ્રીહરિ મંદિર facebook પેઇજ પરથી લઈ શકો છો. કોરોનાની મહામારીને લઈને પોરબંદર ખાતે આવેલા હરિ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે.

(12:48 pm IST)