Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દેશદેવી માં આશાપુરા કચ્છ ખાતે : મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ સોમવારે ઘટસ્થાપન રાત્રે ૮ કલાકે

તા.૧૯ને સોમવારે, ચૈત્રી સુદ-૭, સાતમ ભવ્ય હોમાદિક ક્રિયાઃ રાત્રીના ૮-રપ કલાકે ક્રિયાનો પ્રારંભ બીડુ હોમવાનો સમય ૧ર-૩૦ કલાકેઃ રાજા બાવાશ્રી હવનમાં બિડુ હોમશે : સરકારશ્રીના કોરોના રોગનો ધ્યાને લઇ માસ્ક નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે

રાજકોટ તા. ૧૦ : ભુજથી ૧૦૦ કિ.મી.અંતરે આવેલ ૧૯મી સદીનંુ ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ આસો નવરાત્રી તેમજ ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આધ્યા શકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. ચૈત્રી નવરાત્રી શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કાળથી શકિતા પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્નિ પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદર છે. ત્યા ચૈત્રી નવરાત્રી તા.૧૩/૪/ર૦ર૧ મંગળવારના રોજ ભવ્ય પ્રારંભ થશે. તા.૧ર/૪/ર૦ર૧ સોમવારે રાત્રે ૮ કલાકે ઘટ સ્થાપન થશે તા.૧૯/૪/ર૦ર૧ સમોવાર ચૈત્રી સુદ-૭ ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રે ૮-રપ કલાકે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ શ્રી દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે. તા.૧૯/૪/ર૦ર૧, સોમવારે ચૈત્ર સુદ-૭ રાત્રે ૧ર-૩૦ કલાકે બિડુ હોમાશે. આ સમયેરાજવી પરિવાર, માઇભકતો, આમંત્રીત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્મૃતિ શ્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે. રાત્રે ૧ર-૩૦ કલાકે બિડુ હોમાશે.

માં આશાપુરાના જયઘોષ સાથે ''મા આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી''ના  નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે. ચૈત્રી નવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડું કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર-કચ્છના માઇભકતો માં આશાપુરના દર્શન કરવા જાય છે. કચ્છ ઘણીયાળી માં આશાપુરા ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્છી માડુ પદયાત્રીઓના વિના મૂલ્યે વિના સંકોચ ભોજન, ચા, દુધ, દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપી છે. સેવા એજ ધર્મના ઉદ્દેશને ધ્યાને લઇ પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વરૂપે સાથે છે. તેવો અહેસા અનુભવે છે. ચૈત્રી નવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા, બીજા દિવસે બ્રહ્મ માહિણી પુજા, ત્રિજા દિવસે ચંદ્ર ધંશા પુજા, ચોથા દિવસે કૃષ્માંડા પુજા, પાંચમાં દિવસે કૃષ્માંડા પુજા, છઠા દિવસે કાત્યાયની પુજા, સાતમાં દિવસે કાલરાત્રી પુજા, આઠમાં દિવસે મહાગીરી પુજા, નવમા ૬ દિવસે સિદ્ધિક્ષત્રી પુજા આમ ચૈત્ર નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન કરવાથી ઉતમ ફળ પ્રાપ્ત થાય છે. માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢે દર્શનાર્થી ભાવિકોએ સરકારશ્રીના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ગજુભા ચૌહાણ ભૂવા તરીકે સેવા આપે છે.

માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા રહેવા ચા વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે માતાના મઢના ટ્રસ્ટીશ્રીઓ દિવસ-રાત નિઃસ્વાર્થ ભાવે સેવા આપે છે. આશાપુરાના દર્શન કરવાથી સર્વે દુઃખોનો નાશ થાય છે. લાખો શ્રદ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ થાય છે. ભકતોમાં  આશાપુરાને વંદન કરી વિદાય લે છે ફરી આવે માંના નોરતાની રાહ જોવે છે.

(12:52 pm IST)